મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર અજાણી વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી, તપાસ શરૂ


SHARE







વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર અજાણી વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી, તપાસ શરૂ

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સિરામિક પાસે ખુલ્લા પટમાં કોઈ અજાણી વ્યક્તિની લાશને સળગાવવામાં આવી હતી અને તેની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક વ્યક્તિના મૃત દેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સીરામીક પાસે ખુલી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિની લાશ સળગવામાં આવી હતી જેથી સળગાવેલ હાલતમાં ત્યાં લાશ પડી હોય આ અંગેની રેસી સીરામીક પાસે રહેતા મૂળ ચોટીલા તાલુકાના સખપર ગામના રહેવાસી રાધેશ્યામ રઘુરામભાઈ બારોલીયા (36) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. ખાંભલા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News