મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે રોડના કામમાં મુકેલ આડશની દોરી બાઈકમાં ભરાતા નીચે પડેલ યુવાનનું બીજું વાહન ફરી વળતાં મોત


SHARE











મોરબીના મકનસર પાસે રોડના કામમાં મુકેલ આડશની દોરી બાઈકમાં ભરાતા નીચે પડેલ યુવાનનું બીજું વાહન ફરી વળતાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામથી પાસેથી પસાર થઇ રહેલ બાઇકચાલકના બાઈકમાં હાઇવે ઉપર ચાલતા કામ માટે મૂકવામાં આવેલ આડશની દોરી ભરાઇ હતી જેથી બાઇક ચાલક નીચે રસ્તા પર પડી ગયો હતો અને તેની પાછળ આવી રહેલ વાહન તેના ઉપર ફરી વળ્યું હતું અને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અહી હાઇવે ઓથોરિટીએ સર્વે કરવાની જરૂર છે છેલ્લા ઘણા સમયથી રસ્તામાં પડેલા ખાડાઓને બુરવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે તા ૨૮ ના રોજ બપોરે ૧૨ વાગ્યે મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર પાસે આવેલ સરતાનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઈક ચાલક જેઠાલાલ ગાંગજીભાઇ ગોરી જાતે ભાનુશાલી (૩૮) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, ગાયત્રીનગર વાંકાનેર વાળાનાં બાઈકમાં દોરી ફસાઈ હતી જેથી બાઇકચાલક નીચે રસ્તા ઉપર પટકાયો હતો અને તેની પાછળ આવી રહેલ વાહન ચાલકે પોતાનું વાહન તેના ઉપરથી ફેરવી દીધું હતું જેથી આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું અને આ અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો વધુમાં જાણવા મળતી માહિતી મુજબ યુવાનના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે આ ઘટનામાં મૃતક યુવાનના ભાઇ લાલજીભાઇ (વિજયભાઈ) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કવાયત કરવામાં આવી હોય તપાસ અધિકારી અજીતસિંહ પરમારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

જામનગરના જોડીયા તાલુકામાં આવેલા પીઠડ ગામે રહેતી મંગાબેન કેલીયાભાઇ ભીલ નામની ૧૫ વર્ષીય સગીરાએ વાડી વિસ્તારમાં કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં મંગાબેનને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને જોડીયા પોલીસને જાણ કરી હતી. જ્યારે વાંકાનેરના તાલુકાના સત્તાપર ગામે રહેતી આરતીબેન સુરેશભાઇ પુનાભાઇ કીહલા નામની ૨૧ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેણીને પણ સારવાર માટે અહીં મંગલમ હોસ્પિટલ ખસેડાઇ હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News