મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ
મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ
SHARE
મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ
સ્થાનિક શિક્ષણ જગતની અગ્રણી સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ 'એ' ની વિદ્યાર્થીની ગઢવી ધારા એ તાત્યા ટોપે અને પરમાર આયશા એ અનંત લક્ષ્મણ કન્હરે ના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ ૧૧ બી ના વિદ્યાર્થી પીલુડીયા જુનેદ એ ચાફેકર બંધુના જીવનની માહિતી બધાને જણાવી હતી. કાર્યક્રમ આગળ વધારતા ધોરણ ૧૧ 'એ' અને બી ના વિદ્યાર્થીઓએ તેમની છબીઓ સમક્ષ પુષ્પ અર્પણ કર્યા હતા.
શાળાના આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.આચાર્ય વિરડીયા એ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે અને તેઓ મહાન વિભૂતિઓના જીવનમાંથી પ્રેરણા મેળવી ઉમદા નાગરિક બનવા તરફ પ્રેરાય છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.જેમાં શાળાનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.