મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ


SHARE











મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ

સ્થાનિક શિક્ષણ જગતની અગ્રણી સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં ધોરણ ૧૧ 'એ' ની વિદ્યાર્થીની ગઢવી ધારા એ તાત્યા ટોપે અને પરમાર આયશા એ અનંત લક્ષ્મણ કન્હરે ના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ ૧૧ બી ના વિદ્યાર્થી પીલુડીયા જુનેદ એ ચાફેકર બંધુના જીવનની માહિતી બધાને જણાવી હતી. કાર્યક્રમ આગળ વધારતા ધોરણ ૧૧ 'એ' અને બી ના વિદ્યાર્થીઓએ તેમની છબીઓ સમક્ષ પુષ્પ અર્પણ કર્યા હતા.

શાળાના આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.આચાર્ય વિરડીયા એ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે અને તેઓ મહાન વિભૂતિઓના જીવનમાંથી પ્રેરણા મેળવી ઉમદા નાગરિક બનવા તરફ પ્રેરાય છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.જેમાં શાળાનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.






Latest News