ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત


SHARE











મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત

મોરબી શહેર અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં હાર્ટ એટેકથી વૃદ્ધ અને યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે મોરબીમાં ભત્રીજાના ઘરે આવેલ વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ જીવાભાઇ સંધિ (73) નામના વૃદ્ધ ભંગારની ફેરી કરતા હોય તેઓ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કદમ મેડિકલ વાળી શેરીમાં યદુનંદન સોસાયટી ખાતે ભંગારની ફેરી કરવા માટે થઈને ગયા હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા 108 મારફતે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

અમદાવાદના સાણંદ ખાતે રહેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધા મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં તેઓના ભત્રીજા ભરતભાઈના ઘરે આવ્યા હતા અને બીમારી સબબ તેઓને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટોલનાકા પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનને બીમારી સબબ 108 મારફતે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને પ્રાથમિક તપાસમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેની વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News