મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો


SHARE







મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો


મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રિલીફ નગર પાસે દુકાન ધરાવતા વેપારીની દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના કહી હતી જેથી તેને પોતાની પાસે રહેલ છરી વળે દુકાનદાર યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને ખભાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને દુકાનદાર યુવાનને ખભાના ભાગે ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું જેથી તાત્કાલિક તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે હુમલા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના રિલીફનગર બ્લોક નંબર-૫૬ માં રહેતાં જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઠાકોરદાસ કાંજીયાણી જાતે સિંધી લોહાણા (ઉમર ૩૮) એ હાલમાં મોરબીના ભીમસર વિસ્તારની અંદર રહેતા અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, રિલિફ નગર બ્લોક નંબર -૫૬ પાસે તેની હિંગળાજ મેગા મોલ નામની દુકાન આવેલ છે આ દુકાન પાસે ઉભા રહીને અર્જુન ગાળો બોલતો હતો જેથી કરીને તેને ગાળો બોલવાની ના કહી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા અર્જુને તેની પાસે રહેલી છરી વડે જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને ડાબા ખભા ઉપર છરીનો ઘા મારી દીધો હતો જેથી જેઠાનંદ દ્વારા હાલમાં અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News