મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ


SHARE











વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ

વાંકાનેરના સમથેરવા ગામ પાસેથી યુવાનની હત્યા કરેલી લાશ મળી હતી જે યુવાનના શરીર ઉપર જુદાજુદા ટેટૂ પણ બનાવેલ છે આ મૃતક યુવનના વાલી-વારસની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે અને પોલીસે લોકોને માહિતી આપવા માટે અપીલ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૦૮/૦૪/૨૦૨૬ ના રોજ ૧૧:૧૫ વાગ્યા સમથેરવા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયના યુવાનની લાશ મળી આવી હતી જેમાં મૃતક યુવાનને ગંભીર માર માર્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનું ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે તેમજ મૃતકની ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનના શરીર પર અનેક ટેટૂ (નિશાનીઓ) ત્રોફાવેલ છે, જેમાં ડાબી બાજુ ખભાના આગળના ભાગે અંગ્રેજીમાં “MOM” લખેલું છે, ડાબા હાથની કલાઈમાં ટેટૂથી પટ્ટો ત્રોફાવેલ છે, જમણા હાથના બાવળામાં પાછળના ભાગે અંગ્રેજીમાં “Alon but Royl panit” લખેલું છે અને જમણી બાજુ ગળા ઉપર તેમજ ડાબી બાજુ કમરના ભાગે દિલ તથા કાર્ડિયોગ્રામનું ટેટૂ ત્રોફાવેલ છે. આ મૃતકની ઓળખ થઈ શકી નથી કે તેમના વાલી-વારસની કોઈ માહિતી મળી નથી. આથી, મૃતક વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૩૬૦૮૬ અથવા ૯૮૭૯૦ ૭૬૧૩૦ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પીઆઇ બી.વી. પટેલ દ્વારા જણાવાયું છે.






Latest News