મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન


SHARE











મોતને મ્હાત આપી જીંદગીની જીતવાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન

કહેવાય છે કે 'સેવા એ જ પરમો ધર્મ', પણ જ્યારે આ સેવા ટેકનોલોજી અને ત્વરિત નિર્ણયશક્તિ સાથે મળે ત્યારે તે 'જીવનરક્ષકબની જાય છે. વાંકાનેર IFT 108 ની ટીમે આવી જ રીતે એક વૃદ્ધનો ચમત્કાર કરી જીવા બચાવીને તેઓને નવજીવન આપ્યું છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ કુબાવતની સ્થિતિ અચાનક નાજુક બની હતી. અને તેઓને ગળામાં કેન્સરની ગાંઠ ફાટવાને કારણે અતિશય રક્તસ્ત્રાવ અને ડાયાબિટીસના ઉંચા સ્તરને લીધે તેમનું જીવન જોખમમાં હતું. ત્યારે EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ યુવરાજસિંહ માટે દરેક સેકન્ડ કિંમતી હતી. અને ચાલુ એમ્બ્યુલન્સમાં મેડિકલ એક્સપર્ટનું માર્ગદર્શન મેળવીને ગંભીર હાલતમાં વૃદ્ધને રાજકોટ સિવિલ ખસેડતી વખતે પ્રવીણભાઈએ હિંમત હાર્યા વગર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતી અને તેમણે ડૉ. પરમાર સાથે ડિજિટલ સંપર્ક સાધીપ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અને સારવાર શરૂ કરી દર્દીના પ્રાણ ટકાવી રાખ્યા હતા. બીજી તરફપાયલોટ યુવરાજસિંહે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સને 'લાઈફ સેવિંગ સ્પીડપર દોડાવી રેકોર્ડ સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. "કોઈના ચહેરા પર સ્મિત અને જીવન પાછું લાવવું એ જ સૌથી મોટું પુણ્ય છે.રાજકોટ સિવિલના ડૉ. હેમાંગ પણ 108 ની ટીમની પ્રી-હોસ્પિટલ કેરના ભારોભાર વખાણ કર્યા છે.






Latest News