મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમ વળતર પેટે ફરીયાદીને આરોપીએ આપવા માટેનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો એવી છે કે, મોરબીની સેલજા સિરામિક પ્રા.લી. મોરબીની કંપનીમાંથી આરોપી મે/એસ ફ્યૂઝન ટાઇલ એન્ડ ફીટીંગ ના પ્રોપરાઈટર ઝાલા જયેશભાઇ જીવાભાઈ રહે. ગીર સોમનાથ વાળાએ ઉધારથી ટાઈલ્સની ખરીદી કરી હતી અને આરોપીએ ફરીયાદીને ૨,૮૮,૨૪૯ નો તા ૨૪/૨/૨૫ નો સહી કરી ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીબેંકમાં જમાં કરાવતા તે ચેક ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો જેથી ફરીયાદીની કંપનીએ ચેક રીર્ટનની લીગલ નોટીસ વકીલ બળદેવ કાચરોલા મારફત આપી હતી જો કે, આરોપીચેક મુજબની રકમ ભરપાઈ કરી ન હતી જેથી કરીને ફરિયાદી તેના વકીલ બળદેવ કાચરોલા મારફત મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી જે કેસ મહે. એડી. ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરીયાદીના વકીલ બળદેવ પી. કાચરોલાની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ રૂપીયા ૨,૮૮,૨૪૯ ની ડબલ રકમ ૫,૭૬,૪૯૮ ફરીયાદની તારીખથી વાર્ષીક ૯ ટકા ટકાના વ્યાજે સાથે વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ આરોપી વળતર ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે બળદેવ પી. કાચરોલા રોકાયેલ હતા.






Latest News