ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહેલ ટ્રકના ચાલકે પોતાના ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો અને જે બનાવમાં ટ્રક ચાલકને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટ્રકના ક્લીનરની ફરિયાદ લઈને પોલીસે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મૂળ રાજસ્થાનના રહેવાસી જયપ્રકાશ ઉર્ફે વિકાસ લાલચંદ બીબાન (26)એ હાલમાં ટ્રક નંબર આરજે 49 જીએ 5476 માં ચાલક મૃતક પ્રદીપભાઈ મહાવીરપ્રસાદ બીબાન ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી મૃતક પ્રદીપભાઈ પોતાના હવાલા વાળો ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર પોતે પોતાના ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રદીપભાઈને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે પોલીસે હાલમાં ક્લીનરની ફરિયાદ લઈને મૃતક ડ્રાઇવર સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઘર પાસેથી બાઈકની ચોરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (38)અજાણ્યા શખ્સની સામે વાહન ચરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 36 સી 2693 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીઝ શરૂ કરેલ છે






Latest News