મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી


SHARE













વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી

લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાંથી સામે આવી છે. જેમાં કોઈ અજાણી મહિલાએ તેની બાળકીને ત્યજી દીધી હતી અને તે ત્યજી દેવામાં આવેલ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં બાળકી જોવા મળતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં દોડી આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં કોઈ અજાણી મહિલાએ કોઈપણ કારણોસર તાજી જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને નિઃસહાય હાલતમાં ખુલ્લામાં ત્યજી દીધી હતી ત્યાર બાદ નિરાધાર બાળકીને રખડતા શ્વાને ફાડી ખાધી હતી. આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને નવજાત બાળકીને ત્યજી દેનારી નિષ્ઠુર જનેતાને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે.






Latest News