ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ


SHARE











હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ

20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ જે નિમિત્તે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2,500 નંગ ચકલી ઘર દાતા ધરમશીભાઈ મકાસણા તેમજ 2500 કુંડા જે વિવિધ દાતાઓના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યા હતું. દર વર્ષ અલગ અલગ  દાતા ના સહયોગ થી આ પ્રકારે વિતરણ કરવામાં આવે છે.અત્યાર સુધી માં 20000 કુંડા ,20000 ચકલી ઘર નું વિતરણ કરી ચૂક્યા છે.યુવાનો ની ટીમ આ સેવાકીય પ્રવૃતિ ચલાવી રહી છે. દર વર્ષે 20 માર્ચના દિવસે આ પ્રોજેક્ટ કરવામાં આવે છે તેમજ વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થવાના આ યુવાનો પ્રયાસ કરે છે. આવી જ રીતે ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં "સૃષ્ટિનું સંવર્ધન" કાર્યક્રમ યોજાયો હતો અને વિશ્વ ચકલી દિવસ નિમિતે બાળકોને લાકડાના 100 ચકલીના માળા ભેટમાં આપવામાં આવ્યા હતા.અને શાળામાં લગાવવામાં પણ આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીઓના સંરક્ષણ અને તેમના નિવાસસ્થાનની સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો. આ ઉપરાંત ચૈત્ર મહિનો ચાલે છે. આ મહિનામાં કીડિયારું પૂરવાનું ખૂબ મહત્વ હોય છે. ગીતાબેન દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું અને દરેક ઝાડ ના થડ પાસે બાળકો દ્વારા કીડિયારું પુરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News