મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ


SHARE













મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાન સાથે જમીનનો સોદો કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે યુવાનને જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં 5 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ શીવવીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (37) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રહે. બગથળા, સંદીપભાઈ માવજીભાઈ મેરજા રહે.મહેન્દ્રનગર, અકીભાઈ શાહ (ઓફિસ : આઇ.બી સી.કોમ્પ્લેક્ષ લખધીરપુર રોડના નાકે વાંકાનેર હાઇવે મોરબી-૨), કેતનભાઇ લાલજીભાઈ સંઘાણી રહે.ઘૂટું તા.મોરબી અને રાજેશભાઈ દેસાભાઇ ચૌહાણ રહે.માણેકવાડા તા.મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે નાની વાવડી ગામે આવેલ ઓમ પાર્ક સામે ફરિયાદી હતા ત્યારે પાંચે આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને તેમને જમીન બતાવી હતી અને ત્યારબાદ જમીનનો સોદો કરાવીને તેઓની પાસેથી રોકડા રૂપિયા 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે, જમીનનો દસ્તાવેજ ફરિયાદીને કરી આપવામાં આવેલ ન હતો જેથી યુવાન સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાનોંદ ધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News