મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ


SHARE







મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ

મોરબી તાલુકાનાં સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ત્યારે બે દિવાસીય જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  

દરમ્યાન પહેલા દિવસે સાપર ગામમાં ત્રિદેવ મંદિર અને રાજબાઇ માતાજીનો પાટઉત્સવ, નગરયાત્રા યોજાઇ હતી જે યાત્રા જેતપર, અણિયાળી, રાપર, વધારવા, પીલુડી, જસમતગઢ અને સાપરમાં ફેરવવામાં આવી હતી અને રાતે ભજન સંધ્યા રાખવામા આવી હતી અને બીજ દિવસે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે હવન, ધ્વજા પૂજા, મૂર્તિ સ્થાપના પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, આ તકે સંતો મહંતો, શિષ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા તેમજ લકુલીશ દાદાની ગુરુ પરંપરાની જ્યોત જીવંત રાખવાનાં સાક્ષી બન્યાં હતાં આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સાપર ગામ અને આનંદા આચાર્ય (મનહરસિંહ જાડેજા) અને નિર્મળસિંહ (એડવોકેટ) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News