ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ કરી વિધાનસભાની મુલાકાત
મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ
SHARE
મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ
મોરબી તાલુકાનાં સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ત્યારે બે દિવાસીય જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
દરમ્યાન પહેલા દિવસે સાપર ગામમાં ત્રિદેવ મંદિર અને રાજબાઇ માતાજીનો પાટઉત્સવ, નગરયાત્રા યોજાઇ હતી જે યાત્રા જેતપર, અણિયાળી, રાપર, વધારવા, પીલુડી, જસમતગઢ અને સાપરમાં ફેરવવામાં આવી હતી અને રાતે ભજન સંધ્યા રાખવામા આવી હતી અને બીજ દિવસે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે હવન, ધ્વજા પૂજા, મૂર્તિ સ્થાપના પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, આ તકે સંતો મહંતો, શિષ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા તેમજ લકુલીશ દાદાની ગુરુ પરંપરાની જ્યોત જીવંત રાખવાનાં સાક્ષી બન્યાં હતાં આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સાપર ગામ અને આનંદા આચાર્ય (મનહરસિંહ જાડેજા) અને નિર્મળસિંહ (એડવોકેટ) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.