મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: ‘લૂ’ થી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE











મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: લૂથી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ

આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ અને હીટવેવની સંભાવના વધી છે. આ ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને લૂથી બચવા અને જરૂરી સાવચેતી રાખવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી ખાસ અપીલ કરવામાં આવી છે.

 ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું (ડીહાઈડ્રેશન), અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે આંખે અંધારા આવવા જેવા લક્ષણો લૂ’ (હીટ સ્ટ્રોક) ની નિશાની હોઈ શકે છે. આથી, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને બચાવના ઉપાયો તરીકે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા તેમજ ટોપી, ચશ્માં કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. દિવસ દરમિયાન સતત પાણી, લીંબુ શરબત, છાશ કે ઓ.આર.એસ. (ORS) નું સેવન કરી શરીરને હાઈડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે.

વધુમાં, ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખતા બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ટાળવો અને ભૂખ્યા પેટે બહાર ન નીકળવું હિતાવહ છે. ચા, કોફી અને વ્યસનથી દૂર રહી તાજા ફળોના રસનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોએ ગરમીમાં વિશેષ કાળજી લેવી. કોઈ પણ શારીરિક અસ્વસ્થતા જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ દ્વારા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.






Latest News