ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: ‘લૂ’ થી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE













મોરબી જિલ્લામાં ગરમીનો પારો વધવાની શક્યતા: લૂથી બચવા અને તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરાઇ

આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ અને હીટવેવની સંભાવના વધી છે. આ ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને લૂથી બચવા અને જરૂરી સાવચેતી રાખવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી ખાસ અપીલ કરવામાં આવી છે.

 ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું (ડીહાઈડ્રેશન), અસહ્ય માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે આંખે અંધારા આવવા જેવા લક્ષણો લૂ’ (હીટ સ્ટ્રોક) ની નિશાની હોઈ શકે છે. આથી, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને બચાવના ઉપાયો તરીકે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, આખું શરીર ઢંકાય તેવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા તેમજ ટોપી, ચશ્માં કે છત્રીનો ઉપયોગ કરવા જણાવાયું છે. દિવસ દરમિયાન સતત પાણી, લીંબુ શરબત, છાશ કે ઓ.આર.એસ. (ORS) નું સેવન કરી શરીરને હાઈડ્રેટેડ રાખવું અત્યંત જરૂરી છે.

વધુમાં, ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખતા બજારમાં મળતો ખુલ્લો કે વાસી ખોરાક ટાળવો અને ભૂખ્યા પેટે બહાર ન નીકળવું હિતાવહ છે. ચા, કોફી અને વ્યસનથી દૂર રહી તાજા ફળોના રસનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધોએ ગરમીમાં વિશેષ કાળજી લેવી. કોઈ પણ શારીરિક અસ્વસ્થતા જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.શ્રીવાસ્તવ દ્વારા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.






Latest News