હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમ ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું છે અને શનિવાર તા ૭ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શિવ મંદિરથી રામધન આશ્રમ સુધી પહેલા રાત્રે ૮:૦૦ કલાકે શોભાયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. સંમેલનનો મુખ્ય સંદેશ હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહેરહેશે. આ તકે મુખ્ય વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ-સૌરાષ્ટ્ર પ્રાંત, RSS) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે. કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે ભાણદેવજી મહારાજ, ભાવેશ્વરી માતાજી, દેવાનંદગિરી બાપુ, પૂર્ણપ્રકાશ સ્વામી, સરદમુનિ ઉદાસીન, જય દેવઆનંદ ગીરનારી ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરાયું છે અને કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન-મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગરની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News