મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામે તળાવની બાજુમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો છે અને નીલ ગાયનો શિકાર કરવા માટે તેના ઉપર ફાયરિંગ કર્યું હોય તેવું નિશાન મૃત હાલતમાં પડેલ નીલ ગાય ઉપર જોવા મળી રહ્યું છે અને તેના ગાળાના ભાગે તીક્ષણ હથિયાર પણ મરવામાં આવેલ છે તેવું નિશાન હાલમાં જોવા મળી રહ્યું છે જેથી કરીને ગામના લોકો દ્વારા આ બનાવની દ્વારા સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી છે અને અબોલજીવનો શિકાર કરનારા શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

માળિયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે માળિયાના બગસરા ગામના સીમ વિસ્તારમાં તળાવની પાછળના ભાગમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી ગામના જાગૃત વ્યક્તિને મળી હતી જેથી ગ્રામજનો ત્યા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારે સ્થળ ઉપર નીલ ગાય મૃત હાલતમાં પડી હતી તેના શરીર ઉપર તિક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોય તેવા નિશાન અને બંદૂકથી ફાયરિંગ કર્યું હોય તેવું ઇજાનું નિશાન પણ જોવા મળતું હતું જેથી આ બનાવની જાણ સબંધિત વિભાગના અધિકારીને કરવામાં આવેલ છે અને અબોલજીવનો શિકાર કરવામાં આવતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને નીલ ગાયનો શિકાર કરનારા જે કોઈ વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી છે.






Latest News