મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર


SHARE











માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર

માળીયા મીયાણા તાલુકાના બગસરા ગામે તળાવની બાજુમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો છે અને નીલ ગાયનો શિકાર કરવા માટે તેના ઉપર ફાયરિંગ કર્યું હોય તેવું નિશાન મૃત હાલતમાં પડેલ નીલ ગાય ઉપર જોવા મળી રહ્યું છે અને તેના ગાળાના ભાગે તીક્ષણ હથિયાર પણ મરવામાં આવેલ છે તેવું નિશાન હાલમાં જોવા મળી રહ્યું છે જેથી કરીને ગામના લોકો દ્વારા આ બનાવની દ્વારા સંબંધીત વિભાગને જાણ કરવામાં આવી છે અને અબોલજીવનો શિકાર કરનારા શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

માળિયા (મી) તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે માળિયાના બગસરા ગામના સીમ વિસ્તારમાં તળાવની પાછળના ભાગમાં નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હોય તેવી માહિતી ગામના જાગૃત વ્યક્તિને મળી હતી જેથી ગ્રામજનો ત્યા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારે સ્થળ ઉપર નીલ ગાય મૃત હાલતમાં પડી હતી તેના શરીર ઉપર તિક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોય તેવા નિશાન અને બંદૂકથી ફાયરિંગ કર્યું હોય તેવું ઇજાનું નિશાન પણ જોવા મળતું હતું જેથી આ બનાવની જાણ સબંધિત વિભાગના અધિકારીને કરવામાં આવેલ છે અને અબોલજીવનો શિકાર કરવામાં આવતા ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને નીલ ગાયનો શિકાર કરનારા જે કોઈ વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી છે.






Latest News