મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE







વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ચેમ્બર પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલનું સન્માન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ (મોક્ષ કથા) માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે ઉપસ્થિત વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અને પાટીદાર સમાજ અગ્રણી તથા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) નું સન્માન કરવામાં આવ્યું હતું. 

વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષીનાં વ્યાસાસને ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો ઉમટી રહ્યા છે, સપ્તાહમાં આવતાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, મસ્તક પર સૂંડલામાં બાળ કૃષ્ણને બેસાડી નંદબાવા કથા મંડપમાં પ્રવેશતા  કૃષ્ણ કનૈયા લાલ કી જય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નાં નાદ સાથે નંદલાલનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં, બહોળી સંખ્યામાં ઊમટેલાં મહિલાઓ ભાવવિભોર બની રાસોત્સવ સાથે નંદલાલને વધાવ્યા હતાં, શાસ્ત્રી જીએ પ્રસાદની વર્ષા કરી હતી, જ્યારે આજરોજ (શનિવારે) ગિરિરાજજીને છપ્પન ભોગ ધરાશે તથા નગરજનો દ્વારા આરતી અને દીપ યજ્ઞ કરવામાં આવશે.






Latest News