ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પ સંપન્ન: નિષ્ણાતો દ્વારા યોગ અને આહારના માધ્યમથી સ્વાસ્થ્ય રક્ષાનું અપાયું માર્ગદર્શન


SHARE













મોરબીમાં મેદસ્વિતા મુક્તિ કેમ્પ સંપન્ન: નિષ્ણાતો દ્વારા યોગ અને આહારના માધ્યમથી સ્વાસ્થ્ય રક્ષાનું અપાયું માર્ગદર્શન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુથી મોરબીમાં ભવ્ય મેદસ્વિતા મુક્તિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સનાળા રોડ પર સ્થિત આદર્શ શાળા ખાતે આયોજિત આ કેમ્પમાં શહેરના અનેક જાગૃત નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર વાલજીભાઈ ડાભી અને જિલ્લા કોર્ડીનેટર દેવાંશ્રી પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સુચારૂ રીતે સંપન્ન થયો હતો.

કેમ્પ દરમિયાન યોગ-ટ્રેનર કાજલબેન આદ્રોજા અને ઈન્દિરાબેન ફળદુએ સાધકોને મેદસ્વિતા ઘટાડવા માટેના વિશેષ આસનો, પ્રાણાયામ અને શારીરિક વ્યાયામનું સઘન પ્રશિક્ષણ આપ્યું હતું. આ કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે હરિદ્વારથી પધારેલા સ્વામી વિજય દેવજીએ એક્યુપ્રેશર અને યોગ ચિકિત્સા પર ખાસ સત્ર લીધું હતું, જેમાં તેમણે વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટેની સચોટ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. સ્વાસ્થ્ય જાગૃતિના આ અભિયાનમાં લાયન્સ ક્લબ-મોરબીના સહયોગથી 'હેલ્ધી ડાયટ ફૂડ કુકિંગ' સ્પર્ધાના સુંદર આયોજન થકી પૌષ્ટિક અને સંતુલિત આહારના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કેમ્પમાં આધુનિક સમયમાં બદલાતી જીવનશૈલી વચ્ચે યોગ અને યોગ્ય આહાર પદ્ધતિને જીવનનો હિસ્સો બનાવી જ મેદસ્વિતા જેવી સમસ્યાઓથી મુક્ત બનવા અનુરોધ કરાયો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા સાધકોએ ભવિષ્યમાં પણ યોગ સાથે જોડાયેલા રહેવાનો નિર્ધાર કર્યો હતો.






Latest News