મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ 50 હજાર સામે 1.5 લાખ લીધા અને કાર પણ પડાવી લીધી !


SHARE













મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ 50 હજાર સામે 1.5 લાખ લીધા અને કાર પણ પડાવી લીધી !

મોરબીના શનાળા ગામે રહેતા યુવાને 10 દિવસ માટે 50 હજાર રૂપિયા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે તેણે પોતાની કાર ગીરવે મૂકી હતી જો કે, પૈસા પરત આપવા માટે યુવાન ગયો હતો ત્યારે તેની પાસેથી દોઢ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને યુવાનને તેની કાર પછી આપવામાં આવી ન હતી તેમજ યુવાન અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં ગઈકાલે પાટીદાર યુવા સેવા સંઘની આગેવાની હેઠળ ડીવાયએસપીને વ્યાજખોરિ, ગુંડાગીરી અને લુખ્ખાગીરી સહિતની બાબતોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સનાળા ગામે રહેતા અરવિંદભાઈ હરજીવનભાઈ પનારા (45એ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવામાં રહેતા ભરતભાઈ કાળુભાઈ ગોગરા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2022 માં તેઓએ દસેક દિવસ માટે 50,000 રૂપિયા આરોપી પાસેથી વ્યાજે લીધેલા હતા અને તેની સામે પોતાની એસેન્ટ કાર નંબર જીજે 1 કેએન 8225 ગીરવે મૂકી હતી જોકે, ફરિયાદી પૈસા પરત આપવા માટે ગયા ત્યારે તેની પાસેથી વ્યાજ સહિત કુલ દોઢ લાખ રૂપિયાની બળજબરીપૂર્વક પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને ફરિયાદીને તેની કાર પરત આપવામાં આવી હતી આટલું નહીં.પરંતુ ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News