મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કંપનીમાંથી કાર લઈને યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલા  ટ્રકની પાછળ કોઈપણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી તે ટ્રકની પાછળના ભાગમાં કાર અથડાઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં કાર લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા દિલીપસિંહ દશરથસિંહ જાડેજા (33) એ હાલમાં ટ્રક નંબર જીજે 17 વાય 9976 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટાભાઈ પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (35) ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કેલરીસ ઇન્ડિયા રીફેક્ટરી નામના કારખાનામાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા હોય ત્યાંથી તેઓ રાત્રિના સમયે પોતાના ઘર તરફ પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 36 આર 1494 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલ ટ્રકની પાછળ કોઈ પણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી ટ્રકની પાછળ તેઓની કાર અથડાતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં પૃથ્વીરાજસિંહ જાડેજાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે જોકે, અકસ્માતના બનાવના કારણે ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News