ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કંપનીમાંથી કાર લઈને યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલા  ટ્રકની પાછળ કોઈપણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી તે ટ્રકની પાછળના ભાગમાં કાર અથડાઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં કાર લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા દિલીપસિંહ દશરથસિંહ જાડેજા (33) એ હાલમાં ટ્રક નંબર જીજે 17 વાય 9976 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટાભાઈ પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (35) ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કેલરીસ ઇન્ડિયા રીફેક્ટરી નામના કારખાનામાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા હોય ત્યાંથી તેઓ રાત્રિના સમયે પોતાના ઘર તરફ પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 36 આર 1494 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલ ટ્રકની પાછળ કોઈ પણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી ટ્રકની પાછળ તેઓની કાર અથડાતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં પૃથ્વીરાજસિંહ જાડેજાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે જોકે, અકસ્માતના બનાવના કારણે ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News