​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે નવજાત બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE













હળવદના મેરૂપર ગામે નવજાત બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે ગુનો નોંધાયો

હળવદના મેરૂપર ગામે ભવાની હાર્ડવેરની બાજુમાં આવેલ અવળા પાસે ગટરની બાજુમાં ઉકરડામાં કોઈ અજાણ્યા માતા-પિતાએ તાજુ કે કાચું જનમેલ શીશું ત્યજી દીધું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા પિતા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ ભવાની હાર્ડવેર ની બાજુમાં અવળા પાસે ગટરની બાજુમાં આવેલા ઉકરડામાં તાજુ કે કાચું જન્મેલ નવજાત બાળક જીવિત અથવા મૃત હાલતમાં ત્યજી દેવામાં આવ્યું હોય તે રીતે મળી આવ્યું હતું જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મેરૂપર ગામે રહેતા રાજુભાઈ વશરામભાઈ ખેર (50) નામના આધેડની ફરિયાદ લઈને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા માતા-પિતા સામે ગુનો નોંધીને નવજાત બાળકને ત્યજી દેનાર માતા-પિતાને પકડવા માટે પોલીસ દ્વારા તજવી હાથ ધરવામાં આવી છે






Latest News