મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ


SHARE













મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ

મોરબીમાં જાહેર રસ્તા ઉપર મંડપ નાખીને વેપાર કરતાં વેપારીઓ પાસેથી રાજકોટ મહાપાલિકા કરતાં પણ વધુ ચાર્જ લેવામાં આવે છે જેથી કરીને વેપારીઓ ઉપર આવો જુલમ કેમ કરવામાં આવે છે તેવા સવાલ સાથે શહેર કોંગ્રેસનાં પ્રમુખે કમિશનરને રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં જાહેર માર્ગ કે જાહેર માર્ગ પાસે આવેલ દુકાન ધરાવતા વેપારીઓ તહેવાર દરમ્યાન ૧૦ × ૧૦ ના સ્ટોલ સાથેના મંડપ ઊભા કરતાં હોય છે આવા વેપારીઓ પાસેથી એક દિવસ માટેનો ૨૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જો કે, રાજકોટ મહાપાલીકા દ્વારા આ રીતે મંડપ નાખે તે વેપારીઓ પાસેથી એક દિવસનો માત્ર ૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જેથી મોરબીના વેપારીઓ પાસેથી કેમ આટલું ચાર્જ લેવામાં આવે છે તે લેખિતમાં જણાવવા માટે કહ્યું છે અને અને મોરબીમાં રાજકોટથી પણ વધુ ચાર્જ કેમ લેવામાં આવે છે ? જેથી કરીને સ્પષ્ટતા કરીને મનપા દ્વારા ચાર્જનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News