મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ


SHARE







મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ

મોરબીમાં જતીન આડેસરા નામના સોની વેપારીની હત્યા કરવામાં આવી હતી તે યુવાનનું આજે બેસણું રાખવામા આવ્યું હતું અને જે વાડીમાં બેસણું રાખવામાં આવ્યું હતું ત્યાંથી લઈને જે જગ્યા ઉપર યુવાની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલા આરોપીઓને આકરી સજા થાય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને મૃતક જતીન આડેસરાના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી સોની સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે

મોરબીમાં કાર લઈને જતિન આડેસરા (36) નામનો યુવાન તેના પરિવારજનોની સાથે ગુરુવારે રાતે ઘરે જઇ રહ્યો હતો ત્યારે સ્કૂટરનો ઓવરટેક કરવા જેવી વાતમાં તેને છરીના ત્રણ ઘા માર્યા હતા જેથી કરીને તે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું અને આ મૃતક યુવાનની આત્માની શાંતિ અર્થે આજે તેઓના પરિવારજનો દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવલે સત્યમ પાન વાળી શેરીમાં આવલે સિદ્ધિ વિનાયક વાડીએ બેસણું રાખવામાં આવ્યું હતું તેમાં રાજકીય પક્ષના આગેવાનો તેમજ મોરબીના નગરજનો સહિતના લોકો આવ્યા હતા અને જતીન આડેસરાની આત્માને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી

ત્યાર બાદ સિદ્ધિવિનાયક વાડીથી લઈને મોરબીના સનાળા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમની સામે જે જગ્યા ઉપર જતિન આડેસરાને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી ત્યાં સુધીની એક મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઇ હતી જેમાં તમામ લોકો જોડાયા હતા અને ખાસ કરીને જતીન આડેસરાની હત્યાના ગુનામાં સંડોવાયેલા જે કોઈ આરોપી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને જતીન આડેસરા અને તેના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી કામગીરી કરવામાં આવે તેવી સોની સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News