ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને શહેરમાં માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે, મહાનગરપાલિકાના જાહેરનામાને નજર અંદાજ કરીને બે વેપારીએ દુકાન ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ ચાલુ રાખ્યું હતું જેથી તેની સામે પગલાં લેવાની વિહિપ અને બજરંગદળના આગેવાને માંગ કરી હતી તેવામાં મનપાના અધિકારી અને કર્મચારી દ્વારા એ ડિવિઝનમાં જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જાહેરનામા ભાંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં જાહેરનામું બહાર પાડીને મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો જો કે, જાહેરનામાની ઐસી તૈસી કરીને શિવરાત્રિના દિવસે મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી માર્કેટ અને શક્તિ ચોક પાસે આવેલ ખાટકીવાસમાં નોનવેજનું વેચાણ દુકાનોમાં કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને બંને વેપારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેવામાં હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેમાં એક ફરિયાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગ સંતોકીએ ન્યુ અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ યાદગાર કેટરર્સ સામે નોંધાવેલ છે જયારે બીજી ફરિયાદ ક્લાર્ક દિલીપસિંહ રાઠોડે શક્તિ ચોક ખાટકીવાસ પાસે આવેલ સરકાર બાવા અહમદશાહ નામની દુકાનના માલિક સામે નોંધાવેલ છે જેથી કરીને પોલીસે બંને વેપારીની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News