મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું


SHARE











ટંકારા: નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું

ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ મોબાઈલ ફોન લેવા માટે થઈને જીદ કરી હતી અને ત્યારે પતિએ તેને સમજાવીને પગાર આવશે ત્યારબાદ નવો મોબાઈલ લઈ આપવા માટે કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા તે મહિલાએ લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આવેલ વૃંદાવન પોલિપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા તારાબેન ઉર્ફે માયાબેન કૃષ્ણપાલ શહેરીયા (19) એ પોતે પોતાના લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રામસિંગ પ્રકાશભાઈ કુશવાહા (38) રહે. હાલ વૃંદાવન પોલીટેક કારખાનાના લેબર કવાર્ટરમાં ટંકારા મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે મૃતક મહિલા તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લેવા માટે અવારનવાર જીદ કરી હતી અને ગત તારીખ 18/2 ના રોજ મૃતક મહિલાને નવો મોબાઈલ ફોન લેવા માટે તેને તેના પતિ સાથે જીદ કરતા તેના પતિએ તેને સમજાવીને પગાર આવશે એટલે નવો ફોન લઇ આપીશ તેવું કહ્યું હતું જે બાબતે તેને મનોમન લાગી આવતા મહિલાએ પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News