મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર


SHARE











મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર કર્યા

મોરબી ત્રાજપર ચોકડી પાસેથી જુના ઘુટુ રોડ તરફ જવાના રસ્તા ઉપર આજે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે રોડ સાઈડમાં મૂકવામાં આવેલ કેબીનોને દૂર કરવામાં આવી હતી તેમજ પાકી દુકાન અને ઓટલા તેમજ છાપરા સહિતના બાંધકામોને જેસીબીથી મદદથી તોડવામાં આવ્યા હતા અને 15 થી વધુ હોર્ડીંગ બોર્ડને પણ જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા અને રોડ સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે

મોરબીમાં વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં ડિમોલેશન માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આજે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં રાજપર ચોકડી પાસેથી જુના ઘૂટું રોડ ઉપર  જવાના રસ્તા પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે રોડ સાઈડની જગ્યામાં રાખી દેવામાં આવેલ લગભગ 15 જેટલી કેબીનોને હટાવવામાં આવી હતી આ ઉપરાંત 15 થી વધુ હોર્ડીંગ બોર્ડ ઉપર જેસીબી ફેરવીને તોડી નાખવામાં આવ્યા હતા તથા દુકાન સહિતના જે પાકા બાંધકામો તેમજ ઓટલા અને છાપરા હતા તે તમામને દૂર કરવામાં આવેલ છે અને રોડની સાઈડની જગ્યાને ખુલ્લી કરાવી છે વધુમાં કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબીના જે મુખ્ય માર્ગો અને ચોક છે ત્યાં આવી જ રીતે કોઈપણ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને તોડવા માટે થઈને એસ્ટેટ અને ટીપી શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.






Latest News