બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી


SHARE











મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લો ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે.

આ નવી ટીમ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવો તથા આગામી રાજકીય પડકારો માટે સુવ્યવસ્થિત આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.  જિલ્લા સ્તરે સંગઠનાત્મક કામગીરીને ગતિ આપવા માટે અલગ-અલગ મોરચાઓમાં અનુભવી તેમજ સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

 

જેમાં મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ જાહેર કરવામાં આવેલ છે તેમ મહામંત્રી પદે નિર્મલભાઈ સામતભાઈ જારીયા, તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે અને ચતુરભાઈ ભોપાભાઈ મકવાણાની વરણી કરાયેલ છે.

જયારે ઉપપ્રમુખ પદે અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયા, યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા, નિર્મળાબેન ડાયાલાલ હડિયલ, અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ, ચેતનગીરી સુરેશગીરી ગોસ્વામી, કાજલબેન કિશોરભાઈ ચંડીભમર, રસિકભાઈ પ્રેમજીભાઈ વોરા અને મહેશભાઈ લવજીભાઈ લીખિયાનો સમાવેશ કરેલ છે.

તો મંત્રી પદે જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, પીનાબેન બિપીનભાઈ પરીખ, દેવીકાબેન જયેશભાઈ ભંખોડીયા, પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી, ગૌરીબેન ભૂપતભાઈ કુકવા, કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા,  રંજનબેન અરજણભાઈ હુંબલ, હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવતનો સમાવેશ કરેલ છે જેથી તમામ હોદ્દેદારોને ચોમેરથી આવકારવામાં આવેલ છે.






Latest News