બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા


SHARE











માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા

મોરબી જિલ્લાના ભાજપના સક્રિય કાર્યકર અને માળીયા નગરપાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર તેમજ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સામાજિક આગેવાન યુવા નેતા આમીનભાઈ ભટ્ટીએ ભાજપ સાથે છેડો ફાડીને પંજાનો હાથ પકડી લીધેલ છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના હસ્તે ખેસ પહેરીને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂતાઈ સાથે લોકહિતના પ્રશ્નોને વેગ આપશે અને જનતા વચ્ચે સક્રિયપણે કાર્ય કરશે. અને ખાસ કરીને યુવાનોને વધુમાં વધુ તક આપીને પક્ષને મોરબી જીલ્લામાં વધુ મજબૂત બનાવવામાં આવશે.






Latest News