વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત
મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજેથી બે દિવસીય મહાશિવરાત્રી નિમિતે આયોજિત મેળો શરૂ થયો છે ત્યારે આ મેળામાં તંત્ર દ્વારા રાઇડસને મંજુરી આપેલ છે સાથે ભાવ બાંધણું પણ કરવામાં આવ્યું છે જો કે, તેનો અમલ કરાવવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.
મોરબીના રફાળેશ્વર મંદિર પાસે જાંબુડિયા ગામના સરકારી ખરાબા વાળી જમીનમાં લોકમેળા માટે એમ્યુઝમેંન્ટ રાઇડસના ઈંસ્ટોલેશન અને ઓપરેશન માટે મંજુરી આપવામાં આવી છે જે હુકમમાં ઘણી બધી શરતો પણ રાખવામા આવેલ છે. જેમાં ખાસ કરીને પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન વિગેરે માટે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે આટલું જ નહીં સ્થળ તપાસ કરી પૂર્તતા જણાયે સ્થળ પર આયોજકને સુચના આપી ક્ષતિઓની પૂર્તતા કરાવવી અને રાઇડ્સ સંચાલન અંગે કોઈ ખાસ ધ્યાન આકર્ષક બાબત કે બેદરકારી હોય તો તાકીદે ધ્યાન હેઠળ મુકવી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તેના પગલા લેવા જણાવ્યું છે વધુમાં જાણવા મળ્યું છે કે, મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી આપવામાં આવી છે અને મોરબી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટીવીટીઝ સેફટી રૂલ્સ 2024 તા. 23/7/24 ના રોજ પ્રસિદ્ધ થયેલ તમામ નિયમોનું પાલન કરવા જણાવ્યુ છે જેમાં ફાયર સેફટી, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણી, વોશરૂમ જેવી સુવિધાઓ રાખવાની રહેશે. તેમજ ટીકીટના ભાવ ૧૮ વર્ષથી ઓછી ઉમરના માટે મહત્તમ 30 રૂપિયા અને 18 વર્ષથી મોટી ઉમરના માટે 40 રૂપિયા રાખવાના રહેશે અને પાર્કિંગ માટે ટૂ વ્હીલના 10 અને ફોર વ્હીલ્સના 40 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.