મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન 


SHARE













મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન 

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું અને આ સમૂહલગ્ન શુક્રવારે મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ સૂર્યસ પેટ્રોલ પંપ પાછળના ભાગમાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલા મેદાનમાં રાખવામા આવ્યા હતા. જેમાં સંતો મહંતો અને સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના ૭ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૬ નવદંપતી સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે. આ તકે લઘુ મહંત ભરતપુરી બાપુ (ગ્વાલીનાથ મહાદેવની જગ્યા થરા)ગાંડુભગત (મચ્છુ માતાજીની જગ્યા મોરબી)રતનપુરીજી (રાણાબાપા આશ્રમ માથક)દેવાભગત (નકલંક ઠાકરની જગ્યા વેજલપર) અને રોહિતપુરીજી (પાપનાસણા ઠાકરની જગ્યા તરણેતર) સહીતના સંતો મહંતો તેમજ વિનુભાઈ બેચરભાઈ ગમારા (નવા વાડજ અમદાવાદ), મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમરીયા, મોરબીના ડીવાયએસપી જે.એમ. આલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં 16 દીકરીઓના ધામધૂમથી લગ્ન યોજાયા હતા અને આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામા આવી હતી અને નવદંપતીએ સંતો મહંતો અગ્રણીઓ સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ માટે થઈને સમૂહલગ્ન સમિતિના પ્રમુખ રૈયાભાઈ મુંધવા, જયેશભાઈ ગોલતર, મોતીભાઈ મુંધવા, ભોજાભાઇ મુંધવા, નવઘણભાઈ રાતડીયા, સંજયભાઈ રાતડીયા, ઘોઘાભાઈ ટોટા, દાનાભાઈ બાંભવા, મહેશભાઈ વકાતર સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ સમૂહલગ્નમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 






Latest News