મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન: ૨૪ નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે


SHARE











મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નનું આયોજન: ૨૪ નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાશે

સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના હેતુ સાથે મોરબીમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આગામી તા ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ ૩૯ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૪ નવદંપતી લગ્નગ્રંથિએ જોડશે.

આ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન એસ્ટ્રોન સિરામિકની પાછળ રિવેરા સીરામિકની બાજુમાં રાખવામા આવેલ છે. અને સવારે ૫:૩૦ કલાકે ગણેશ સ્થાપના સાથે મંગલ શરૂઆત થશે, સવારે ૮:૧૫ કલાકે સામૈયા અને જાનનું સ્વાગત કરવામાં આવશે, સવારે ૯:૩૦ કલાકે સમારંભમાં પધારેલા મહેમાનો અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે, સવારે ૧૦:૧૫ કલાકે હસ્ત મેળાપની મુખ્ય વિધિ થશે, બપોરે ૧:૧૫ કલાકે નવદંપતીઓને કરિયાવર ભેટ આપી વિદાય આપવામાં આવશે. આ તકે નવદંપતીને આશીર્વાદ આપવા મેહુલદાસ બાપુ અને યોગીશ્રી જ્યોતનાથજી બાપુ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા ઉપસ્થિત રહેશે.

વરિયા પ્રજાપતિ જ્ઞાતિના ઉદાર દાતાઓ તરફથી નવદંપતીઓને નવો ઘર-સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણો, કબાટ, પલંગ, ગાદલાં, મિક્સર, ઈસ્ત્રી, ગેસ સ્ટવ અને રસોડાની નાની-મોટી ૧૨૦થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે. લગ્નની સાથે જ્ઞાતિમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે આ વખતે ખાસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરીયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ જહેમત ઉઠાવી રહી છે.






Latest News