વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીના પતિ અરવિંદભાઇનું અવસાન થયેલ.તેમણે એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સનો વીમો લીધેલ હતો.ઈન્શ્યોરન્સ કંપનીએ રેપ્યુડેશન લેટરથી વીમો આપવાની ના પાડતા મંજુલાબેને શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાવ્યો હતો.ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીને રૂ.૫,૦૦,૦૦૦ વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે મોરબીના મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીએ એચડીએફસી ફાયનાન્સ પાસેથી પાંચ લાખનો વીમો લીધેલ હતો.બાદમાં અરવિંદભાઈનું તા.૨૦-૪-૨૦ ના કુદરતી રીતે અવશાન થતા વીમા કંપાનીએ તેમના પત્નિ મંજુલાબેન વસીયાણીએ તમામ કાગળો રજુ કરેલ.પરંતુ વીમા કંપનીએ એવું કહયું કે અરવિંદભાઈને હર્નીયા હતું.તેથી વીમો મળે નહીં.તેમણે રોગ છુપાવેલ હોય વીમો મળે નહીં.પરંતું ડોકટરના સર્ટી મુજબ લીવરની બીમારીને કારણે અરવિંદભાઈનું મૃત્યુ થયેલ છે.વીમાનું પ્રીમીયર ગ્રાહકે ભરેલ છે આ માટે વીમા કંપની રેપ્યુડેશન લેટરનો આશરો લઈ શકે નહી માટે એચ.ડી.એફ.સી ઇન્સ્યોરન્સે મંજુલાબેન અરવિંદભાઈ વસીયાણીને રૂા.૫,૦૦,૦૦૦ તા.૨૭-૨-૨પ થી છ ટકાના વ્યાજ અને ૫૦૦૦ ખર્ચ સહિત ચુકવવા આદેશ કરેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

 






Latest News