ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત


SHARE











વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત

વાંકાનેરના લાલપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો સાડા ત્રણ વર્ષનો દીકરો વાડીની બાજુમાં આવેલ કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર નજીક આવેલ લાલપર પાસે મહમદહુસેનભાઈ મોમીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયાનો સાડા ત્રણ વર્ષનો દીકરો લવરાજ સંઘાળીયા રમતા રમતા વાડીની બાજુમાં આવેલ કેનાલના પાણીમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલમાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે પ્રતાપસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ કારીયાભાઈ રાઠવા (20) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી દવા પીધી

ટંકારામાં રહેતા મનીષાબેન વિજયભાઈ (25) નામના મહિલાએ કોઈ કારણોસર ગત તા. 27/1 ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News