મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત


SHARE













વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત

વાંકાનેરના લાલપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો સાડા ત્રણ વર્ષનો દીકરો વાડીની બાજુમાં આવેલ કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર નજીક આવેલ લાલપર પાસે મહમદહુસેનભાઈ મોમીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયાનો સાડા ત્રણ વર્ષનો દીકરો લવરાજ સંઘાળીયા રમતા રમતા વાડીની બાજુમાં આવેલ કેનાલના પાણીમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલમાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે પ્રતાપસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ કારીયાભાઈ રાઠવા (20) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી દવા પીધી

ટંકારામાં રહેતા મનીષાબેન વિજયભાઈ (25) નામના મહિલાએ કોઈ કારણોસર ગત તા. 27/1 ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News