મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી
Breaking news
Morbi Today

મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ


SHARE











મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ

મોરબીના મહેરબાન ચીફ જયુ.મેજી.સાહેબની કોર્ટમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની ફરીયાદના કેશનાં આરોપીને કોર્ટે દોષીત ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમ દંડ અને વ્યાજ સહીત ચુકવવા હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના સંબંધી પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી ચુનીલાલ દયારામ ધોળકીયાએ લેણી રકમ ચુકવવા ચેક આપેલ જે ચેક રીટર્ન થતા આરોપી વિરૂધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની ફરીયાદ દાખલ થયેલ.ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ કાર્યવાહી ચાલતા ફરીયાદી વતી મોરબી જીલ્લાના એડવોકેટ-નોટરી નીતીનકુમાર અમૃતલાલ પંડ્યા તથા એડવોકેટ યાશિકા મનસુખભાઈ દેવમોરારીએ કેસ લડેલ અને તેમા ધારદાર દલીલ કરેલ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ તે ધ્યાને લઈ નામદાર કોર્ટએ તા.૯-૧-૨૬ ના રોજ મોરબીના મહેરબાન ચીફ. જયુ.મેજી.સાહેબની કોર્ટએ આરોપીને દોષીત ઠરાવીને બે વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૧,૧૫,૦૦૦ તથા તે દંડની રકમમાંથી સીઆરપીસી ની કલમ-૩૫૭(૧)(બી) મુજબ ફરીયાદીને રૂા.૧,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવે છે.અને ફરીયાદ તારીખથી વાર્ષીક ૯ ટકાના સાદુ વ્યાજ ચુકવાનો તથા ન ચુકવે તો વધુ નેવું દિવસની સજાનો કોર્ટે હુકમ ફરમાવેલ છે.






Latest News