મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ


SHARE











મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ

સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે યોજાયેલી પરેડમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની કામગીરી અને કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલો 'પ્રાકૃતિક કૃષિ' પર આધારિત ટેબ્લો ખેડૂતોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ખેતીવાડી વિભાગના ટેબ્લોમાં રાસાયણિક ખેતીના વિકલ્પ રૂપે પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પૃથ્વીના સ્વાસ્થ્ય અને મનુષ્યના આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી કેટલી અનિવાર્ય છે, તે ટેબ્લો દ્વારા સચોટ રીતે સમજાવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતીના પાયા સમાન 'જીવામૃત' બનાવવાના ઘટકો અને તેની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ગાયના છાણ અને ગૌમૂત્ર દ્વારા જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે અને ખેતીના ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ટેબ્લો દ્વારા એ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત મિત્રો સાથે મળીને કરવામાં આવેલા આ પ્રદર્શન દ્વારા લોકોને રાસાયણિક મુક્ત ખેત પેદાશોના ઉપયોગ માટે અને ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News