મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ

પ્રજાસતાક પર્વ નિમિતે તિરંગાને સલામી અને ભારતમાતા પૂજનના કાર્યક્રમનું મોરબીના માણેકવાડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાના હસ્તે તિરંગાને આકાશમાં લહેરાવ્યો હતો અને ત્યાર બાદ માણેકવાડા પ્રાથમિક શાળાને આ વર્ષ 2025 નો સક્ષમ શાળાનો તાલુકા અને જિલ્લા સ્તરનો પુરસ્કાર શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ ભીમાણીને અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના કુમાર અને કન્યાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકાથી ધો.8 સુધીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને શૈક્ષણિક કીટ આપીને સન્માનીત કરવામાં આવ્યું હતા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિધાર્થીઓને શીલ્ડ, શૈક્ષિણક સામગ્રી દાતા રતિભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપસરપંચ) દ્વારા આપવામાં આવી છે.કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News