ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ

પ્રજાસતાક પર્વ નિમિતે તિરંગાને સલામી અને ભારતમાતા પૂજનના કાર્યક્રમનું મોરબીના માણેકવાડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાના હસ્તે તિરંગાને આકાશમાં લહેરાવ્યો હતો અને ત્યાર બાદ માણેકવાડા પ્રાથમિક શાળાને આ વર્ષ 2025 નો સક્ષમ શાળાનો તાલુકા અને જિલ્લા સ્તરનો પુરસ્કાર શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ ભીમાણીને અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના કુમાર અને કન્યાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકાથી ધો.8 સુધીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને શૈક્ષણિક કીટ આપીને સન્માનીત કરવામાં આવ્યું હતા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિધાર્થીઓને શીલ્ડ, શૈક્ષિણક સામગ્રી દાતા રતિભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપસરપંચ) દ્વારા આપવામાં આવી છે.કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News