વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી

મોરબીના વતની પરેશભાઈ અમરશીભાઈ કાસુન્દ્રાએ બજાજ ફાઇનાન્સમાંથી ૬.૫ ટકાના દરે તા.૨૫-૧૨-૨૫ ના રોજ લોન લેવાનું નકકી કરેલ ફાઇનાન્સ કંપનીએ કહ્યું કે લોન સામે તમારે પ્રિમીયમ ખરીદ કરવાનું કહેવામાં આવેલ એટલે પરેશભાઈએ ભારતી એક્ષા લાઈફ ઇન્સ્યોરન્સ કું લી. માંથી રૂપિયા ૩૦,૦૦૦ વિમા પ્રિમીયમ ભરી લોન માટે અરજી કરેલ ત્યારબાદ બજાજ ફાઈનાન્સમાંથી ફોન આવેલ કે તમોને છ લાખથી વધુ એટલે કે રૂપિયા ૨૦,૦૦,૦૦૦ લોન મળવાપાત્ર થાય છે અને તે માટે પાંચ ટકા પ્રિમીયમનો વીમો લેવાનું નકકી કરતા ફરીયાદીએ રૂપિયા ૯૦,૦૦૦ નો વીમો તા.૧૪-૨-૨૩ ના પોલીસી નં. ૫૦૩/૭૯૮૫૪૦૪ થી પોલીસી નંબર ઇશ્યુ કરવામાં આવેલ જે પોલીસી લોન સામે હતી.પરંતું ત્યારબાદ બજાજ ફાઇનાન્સએ ફોન દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલ કે આરબીઆઈ ના નિયમ મુજબ લોન ધારક સામે ગેરેન્ટેડ હોવું જોઈએ અને તેનો પણ વીમો હોવો જોઈએ.

ફરીયાદીએ મોરબી ખાતેની બજાજ ફાઈનાન્સ કંપનીનો સંપર્ક કરતા તેને એવી જાહેરાત કરેલ કે ત્રણ વર્ષના સતત વીમા ભરપાઈના પ્રિમિયમ બાદ સરેન્ડર વેલ્યુ ઉપર લોન મળે, પરંતુ અમે આવી કોઈ લોન આપી શકતા નથી.ફરીયાદીએ અન્ય બે પોલીસી પ્રિમીયમ રકમ રૂપિયા ૧,૪૨,૦૦૦ ફરીયાદીને પરત કરેલ.પરંતુ ફરીયાદીએ પ્રથમ ભરેલ પ્રિમીયમની રકમ રૂા.૧,૨૦,૦૦૦ સતત માંગવા છતા પણ “ભારતી એક્ષા લાઇફ ઇન્સ્યોરન્સ કો લી.” આપવા દરકાર કરેલ નહીં.ફરીયાદીને સંતોષકારક જવાબ ન મળતા તેમણે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો મળીને તેમના દ્વારા કેસ દાખલ કરાવ્યો હતો.જે કેસ ગ્રાહક અદાલતમાં ચાલી જતા “ભારતી એક્ષા લાઇફ ઇન્સ્યોરન્સ કશું લી.” ને કહયું કે પ્રિમીયમની રકમ રૂપિયા ૧,૨૦,૦૦૦ માંથી પ્રપોસનેટ કરી બાકીની રિફન્ડ રકમ ફરીયાદીને તા.૧૧-૭-૨૪ થી નવ ટકાના ચડત વ્યાજ સાથે મળી કુલ રકમ ચુકાદાની તારીખથી એક માસમાં ચુકવવાનો હુકમ કરેલ છે.જો નિયત સમયમાં રકમ ચુકવવામાં નહીં આવે તો નવ ટકા ને બદલે બાર ટકા લેખે ચુકવવા કંપની જવાબદાર છે.તથા ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ અરજદારને ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશાં લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો. ૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો.






Latest News