હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે


SHARE











મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે

મોરબીમાં શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને તે નિમિત્તે "પંચ પરિવર્તન કથા" યોજાશે.

મોરબીનું શ્રી સરસ્વતી શિશુ મંદિર 1992 થી શિક્ષણમાં કામ કરી રહ્યું છે. અને છ વર્ષ પહેલાં શાળા પરિસરમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા તથા સ્થાપનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારથી લઈને દર વર્ષે મહાસુદ આઠમના દિવસે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું  આયોજન થતું હોય છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ પાટોત્સવની પૂજા વિધિ થશે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ચાલતા આ વિદ્યાલયમાં પાટોત્સવ નિમિત્તે 25 જાન્યુઆરીએ રાત્રે 9:00 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે "પંચ પરિવર્તન કથા" યોજાશે. સમાજમાં આ પાંચ પરિવર્તનથી વ્યક્તિથી લઈને પ્રકૃતિ સુધી તેની સારી અસરોથી આવનારી પેઢી લાભાનવિત થશે. આ કથાનો લાભ લેવા માટે મોરબીની તમામ રાષ્ટ્રભક્ત તથા પ્રકૃતિ પ્રેમી પ્રજાને સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News