મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા


SHARE













મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા

મોરબીના લોકોને રજડતા ઢોરને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત છેલ્લા 10 માહિનામાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2,287 ઢોરને પકડેલ છે. અને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં ઢોરને મૂકવામાં આવેલ છે. તેવી માહિતી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છે.

મોરબી મહાપાલિકામાં રજડતા ધોરણે પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે દરમ્યાન માર્ચ 2025 થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2,287 ઢોરને પકડેલ છે. અને વિવિધ વિસ્તારમાંથી રખડતાં ઢોરને પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત ઢોર પકડ શાખા દ્વારા 181 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. અને 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવેલ છે આ ઉપરાંત 32 નાગરિકોના પેટડોગ રજીસ્ટ્રેશન કરેલ છે. અને પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ મળીને 1360 પશુઓનું આરએફઆઈડી તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. અને આરએફઆઈડી તથા ટેગિંગની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે.






Latest News