મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ


SHARE













વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ

વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને થોડીવાર માટે રસ્તા ઉપર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા ત્યાર બાદ મહામુસીબતે લોકોએ યુદ્ધ ચડેલા ખૂંટીયાઓને છૂટા પાડ્યા હતા

મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે અને અવારનવાર રજડતા ઢોર રાહદારી લોકોને હડફેટે લઈને તેઓને શારીરિક અને તેઓના વાહનોમાં નુકસાન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે જેથી હાઇકોર્ટ પણ આ બાબતને લઈને ગંભીર ટીપણી કરતી હોય છે તેવામાં વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર બે ખુટિયા યુદ્ધે ચડ્યા હતા અને ત્યાં લોકોના વાહનોમાં નુકસાની કરી હતી અને યુદ્ધે ચડેલા ખૂંટીયાને છૂટા પાડવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યાર બાદ ખૂંટીયા છુટા પડ્યા હતા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલેખનીય છેકે, અવારનવાર આવી રીતે વાંકાનેર શહેર તથા મોરબી જિલ્લામાં રજડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોય છે ત્યારે લોકોના જીવા પડીકે બંધાઈ જતા હોય છે અને આગામી દિવસોમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા રજડતા ઢોરને પકડવા માટેની નક્કર કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.






Latest News