મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે મંદિરમાં તોડફોડ કરનારને સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી


SHARE











હળવદના વેગડવાવ ગામે મંદિરમાં તોડફોડ કરનારને સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાનના મંદિરમાં તે જ ગામની અંદર રહેતા શખ્સ દ્વારા તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી આધેડ સહિતનાઓ તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે સામે વાળાએ તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

હળવદના વેગડવાવ ગામે રહેતા લાલજીભાઈ લવજીભાઈ પીપળીયા (55)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ ચતુરભાઈ સુરેલા રહે. વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વેગડવાવ ગામમાં આવેલ ખીજડીયા હનુમાનજીના મંદિરે રહેલ વસ્તુઓમાં આરોપી દ્વારા તોડફોડ કરીને નુકસાની કરવામાં આવી હતી જેથી ફરિયાદી અને સાહેદો તેને કહેવા માટે થઈને ગયા હતા અને તે બાબતે તેને સારું નથી લાગતા આરોપીએ ફરિયાદી સહિતનાઓને ગાળો આપી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હીરાપર ગામ પાસેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અન્ય વાહનના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં મોરબીના નવા મકાનસર ગામે રહેતા કાનાભાઈ કાથડભાઇ વેરાણા (48), લાભુબેન કાનાભાઈ વેરાણા (45), ભાવનાબેન દેવરાજભાઈ (41) અને હેમીબેન દેવરાજભાઈ (3) નામના ચાર વ્યક્તિઓને ઈજા થઇ હતી જેથી તેઓને શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News