તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની 23 જાન્યુઆરીએ બેઠક યોજાશે


SHARE











મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની 23 જાન્યુઆરીએ બેઠક યોજાશે

મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની બેઠકનું આગામી તા. 23 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગાઉ કરવામાં આવેલ રજૂઆતો અને અરજીઓને ધ્યાને લઈને કરવામાં આવેલ કામની માહિતી રજૂ કરવામાં આવશે તેમજ આગામી સમયમાં જે કામ કરવાના છે તેના એજન્ડા આ બેઠેકમાં લેવામાં આવેલ છે.

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે મહાપાલિકા કચેરીના સભા ખંડમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કર્યું છે જેમાં ધારાસભ્યો અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. જો કે, આ બેઠેકમાં અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો કમિશ્નરને અધિકારીઓએ અગાઉથી જાણ કરીને અનુમતિ લેવા માટેની જાણ કરી છે. આ સંકલન સમિતિની બેઠકમાં ગ્રામ પંચાયતની જે તે વખતની સ્વભંડોળ બચતની રકમની મર્યાદામાં કામો નક્કી કરેલ કામોનો પ્રગતિ અહેવાલ તેમજ જન ભાગીદારીના કામો માટે સાધનિક કાગળોની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય તેવા જનભાગીદારી કમાઓ માટે આવેલ નવી રજૂઆત/ અરજી પરત્વે કરાયેલ કામગીરી સહિતના એજન્ડા લેવામાં આવેલ છે.






Latest News