ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડીએ આડેધડ વાહન પાર્કિંગની પીડામાંથી મુક્તિ માટે વેપારીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબીની રવાપર ચોકડીએ આડેધડ વાહન પાર્કિંગની પીડામાંથી મુક્તિ માટે વેપારીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબીની રવાપર ચોકડી પાસે આડેધડ વાહન પાસ થતાં હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને સ્થાનિક વેપારીઓ સહિતના લોકો આજે એસપી ઓફિસે પહોંચ્યા હતા અને રવાપર ચોકડી પાસે ટ્રાફિકની યોગ્ય રીતે નિયમન કરાવવામાં આવે અને આડેધડ વાહન પાર્ક કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટર નજીક આડેધડ વાહન પાર્ક થતા હોય છે જેના કારણે સ્થાનિક વેપારીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે સ્થાનિક વેપારીઓ સહિતના લોકો દ્વારા મોરબી એસપી ઓફિસ ખાતે જઈને ત્યાં ટ્રાફિક શાખાની અંદર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રવાપર ચોકડી પાસે જે આડેધડ બાઈકસ્કૂટરકાર સહિતના વાહનોને પાર્ક કરવામાં આવતા હોય છે તે વાહન ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવાપર ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાંથી એક પણ શોપિંગ સેન્ટરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા નથી જેના કારણે મોટાભાગના દુકાનદારો અને ત્યાં આવતા ગ્રાહકો દ્વારા રસ્તા ઉપર વાહનોને પાર્ક કરવામાં આવે છે અને તે વાહનોને આડેધડ પાર્ક કરવામાં આવતા હોવાના કારણે ટ્રાફિકજામઅકસ્માત સહિતના બનાવો ત્યાં બનતા હોય છે જેથી કરીને વેપારીઓ સહિતના લોકો દ્વારા આજે ટ્રાફિક શાખામાં આવેદનપત્ર આપીને રવાપર ચોકડી પાસે યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન થાય તેવી માંગ કરવામાં આવી છે






Latest News