મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી


SHARE











મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી

મોરબીની નવયુગ સંકુલ તેમજ વિધ્યાલયના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે.જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ એક પાત્રિય અભિનયમાં તેમજ અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈ લોકવાદ્યમાં જિલ્લા કક્ષાએથી હવે આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરશે.જે નવયુગ સંસ્થા માટે ગૌરવ અને પ્રેરણાની બાબત છે.તેમ સંસ્થાના વડા પી.ડી.કાંજીયાએ જણાવ્યું છે.

આ સિદ્ધિ સાથેસાથે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે જ્ઞાનનો મહાયજ્ઞ એટલેકે “કૌન બનેગા ચેમ્પિયન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનોમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ચેતનાને નવી ઊર્જા મળી હતી.આ તકે પી.ડી. કાંજીયા દ્વારા શિક્ષણ જગતને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું હતુ.શિક્ષણના નવીનીકરણ, ગુણવત્તા અને મૂલ્ય આધારિત અભિગમ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વિચારધારા ઘડવાનું સાધન બનવું જોઈએ.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત એવી પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરે છે કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ પ્રતિભા, વ્યક્તિત્વ અને મૂલ્યોના સર્વાંગી વિકાસનું મજબૂત પાયારૂપ કેન્દ્ર છે.






Latest News