મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી


SHARE











મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી

મોરબીની નવયુગ સંકુલ તેમજ વિધ્યાલયના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે.જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ એક પાત્રિય અભિનયમાં તેમજ અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈ લોકવાદ્યમાં જિલ્લા કક્ષાએથી હવે આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરશે.જે નવયુગ સંસ્થા માટે ગૌરવ અને પ્રેરણાની બાબત છે.તેમ સંસ્થાના વડા પી.ડી.કાંજીયાએ જણાવ્યું છે.

આ સિદ્ધિ સાથેસાથે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે જ્ઞાનનો મહાયજ્ઞ એટલેકે “કૌન બનેગા ચેમ્પિયન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનોમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ચેતનાને નવી ઊર્જા મળી હતી.આ તકે પી.ડી. કાંજીયા દ્વારા શિક્ષણ જગતને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું હતુ.શિક્ષણના નવીનીકરણ, ગુણવત્તા અને મૂલ્ય આધારિત અભિગમ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વિચારધારા ઘડવાનું સાધન બનવું જોઈએ.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત એવી પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરે છે કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ પ્રતિભા, વ્યક્તિત્વ અને મૂલ્યોના સર્વાંગી વિકાસનું મજબૂત પાયારૂપ કેન્દ્ર છે.






Latest News