મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી મોરબીના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાનો નિર્દોષ છુટકારો થયેલ છે.

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, તેની સગીર વયની દીકરીને આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલ છે અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ગુનાના કામે આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, અન્ય સાહેદો, પંચો, ડોકટ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નિર્દોષ છે. અને ફરીયાદ પક્ષ કેસને શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તે સહિતની દલીલ કરી હતી જે દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી અગેચાણીયા, કુલદિપ ઝિંઝુવાડીયા, રવિ ડી. ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.






Latest News