મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ


SHARE











મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ

મોરબીમાં રહેતા શખ્સને ત્યાં રહેતા પરિવારની દીકરી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તેને યુવતીના પિતા અને ભાઈની સાથે લગ્નની વાત કરી હતી ત્યારે યુવતીના પિતા તેમજ ભાઈને સારું નહીં લગતા મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવતીના પિતાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર માર્યું હતું જેથી તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં મયુર બ્રિજની નીચેના ભાગમાં રહેતા અજય હઠીલાને ત્યાં રહેતા કાસુભાઈ ચાડમિયાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો જેથી કરીને બુધવારે રાતે તેને તાપણું કરતાં હતા ત્યાર જઈને કાસુભાઈ ચાડમિયા સાથે તેની દીકરીના લગ્ન માટેની વાત કરી હતી ત્યારે કાસુભાઈ ચાડમિયા અને તેના દીકરા મનોજભાઇ ચાડમિયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ અજય હઠીલાના ઝૂંપડાંની બાજુમાં રહેતા અન્ય ત્રણ શખ્સોને તે બોલાવી લાવ્યો હતો અને તેને કાસુભાઈ ચાડમિયા અને તેના દીકરા સહિતનાઓને માર માર્યો હતો જેમાં કાસુભાઈ ચાડમિયાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર માર્યું હતું જેથી તેની હત્યા થયેલ હતી અને આ બનાવ સંદર્ભે મૂળ ટંકારાના સાવડીના રહેવાસી અને હાલમાં મોરબીમાં મયુર બ્રિજની નીચેના ભાગમાં ઝૂંપડામાં રહેતા મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા (22)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય રમેશભાઈ હઠીલા, અજય ભનુભાઈ, બંટી ડામોર અને દીપુ અરજણભાઈ રહે ચારેય મયુર બ્રિજની નીચે ઝૂંપડામાં મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ કરી હતી.  

આ બાબતે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અધિકારી જણાવ્યુ હતું કે, જયારે મારા મારી થયેલ હતી ત્યારે ફરિયાદી મનોજભાઇ અને તેના પિતાને છુટા પથ્થરના ધા અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને ચારેય આરોપીઓ ફરિયાદીના પિતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને સાથળના ભાગે તેને તીક્ષણ હથિયારનો ઘા ડાબા પગમાં માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ હત્યાનો ગુનો નોંધાયેલ હતો આ ગુનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. પરમાર અને તેઓની ટીમે આરોપી અજય રમેશભાઈ હઠીલા (25), અજયભાઈ જાનૈયાભાઈ ખરાડી (25), બંટી હેનરીભાઈ ડામોર (33) તથા દીપુ જાનૈયાભાઈ ખરાડી (42) રહે. હાલ બધા મયુર બ્રિજ નીચે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. ઉલેખનીય છેકે, આ બનાવમાં વૃદ્ધ હત્યા થયેલ છે જો કે, બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પકડાયેલ આરોપી પૈકીનાં અજય હઠીલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક વૃદ્ધ અને તેના દીકરા સહિત પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ક્રોસ ફરિયાદ લઈને મારામારીના ગુનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે. 






Latest News