મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ


SHARE











મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ

મોરબી તાલુકાના જેપુર ગામે યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને ગામના જ સાત લોકો સામે ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હોવા બાબતે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નવલખી હાઇવે ઉપર આવેલા જેપુર ગામે વણકરવાસ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પ્રેમજીભાઈ સોલંકી નામના ૨૬ વર્ષીય યુવાને ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મહેન્દ્ર સોલંકીને જેપુર ગામના સાત લોકો ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હતા માટે "કેમ મારી સામે ખોટી અરજીઓ કરો છો..?" એમ કહેવા જતા મહેન્દ્રને દમદાટી આપીને ધમકાવવામાં આવ્યો હતો જે વાતનું મનમાં લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું હોવાની તેણે પોલીસને કેફિયત આપી હતી અને બાદમાં મહેન્દ્ર સોલંકીએ જેપુર ગામના જ સંજય પોપટ મકવાણા, ડાયા મેઘા સોલંકી, સુધીર ગોવિંદ, પોપટ સીદા મકવાણા, જીતેન્દ્ર ડાયા સોલંકી, દેવજી પોપટ મકવાણા અને ગોવિંદ શામજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને તાલુકા પોલીસે બનાવ અંગે ફરીયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખારચીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયા નામનો ૪૧ વર્ષીય યુવાન ખારચીયા ગામના પાટિયા પાસે પીપળીયા ચોકડીથી જામનગર જતા હાઇવે ઉપર કામ ઉપર દેખરેખ રાખી રહ્યો હતો ત્યારે અકસ્માતે ડમ્પરની હડફેટે ચઢી જતાં ઇજાગ્રસ્ત ભરતભાઈ શેરસીયાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News