મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ


SHARE











મોરબીમાં ખોટી અરજી કરીને યુવાનને હેરાન કરાતા ફિનાઇલ પી ગયેલ યુવાને સાત સામે નોંધાવી ફરીયાદ

મોરબી તાલુકાના જેપુર ગામે યુવાને ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને ગામના જ સાત લોકો સામે ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હોવા બાબતે ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નવલખી હાઇવે ઉપર આવેલા જેપુર ગામે વણકરવાસ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર પ્રેમજીભાઈ સોલંકી નામના ૨૬ વર્ષીય યુવાને ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બારૈયાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મહેન્દ્ર સોલંકીને જેપુર ગામના સાત લોકો ખોટી અરજીઓ કરીને હેરાન કરતા હતા માટે "કેમ મારી સામે ખોટી અરજીઓ કરો છો..?" એમ કહેવા જતા મહેન્દ્રને દમદાટી આપીને ધમકાવવામાં આવ્યો હતો જે વાતનું મનમાં લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું હોવાની તેણે પોલીસને કેફિયત આપી હતી અને બાદમાં મહેન્દ્ર સોલંકીએ જેપુર ગામના જ સંજય પોપટ મકવાણા, ડાયા મેઘા સોલંકી, સુધીર ગોવિંદ, પોપટ સીદા મકવાણા, જીતેન્દ્ર ડાયા સોલંકી, દેવજી પોપટ મકવાણા અને ગોવિંદ શામજી મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને તાલુકા પોલીસે બનાવ અંગે ફરીયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખારચીયા ગામે રહેતા ભરતભાઇ કાનજીભાઇ શેરસીયા નામનો ૪૧ વર્ષીય યુવાન ખારચીયા ગામના પાટિયા પાસે પીપળીયા ચોકડીથી જામનગર જતા હાઇવે ઉપર કામ ઉપર દેખરેખ રાખી રહ્યો હતો ત્યારે અકસ્માતે ડમ્પરની હડફેટે ચઢી જતાં ઇજાગ્રસ્ત ભરતભાઈ શેરસીયાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News