મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજામરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક ૬૦ વર્ષના દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યા હતા અને જ્યારે દર્દીને લઈને આવ્યા હતા તે બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮ % હતું.

ત્યાર બાદ ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી અને જણાયું હતું કે, દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું લેવલ ૯૮ જેટલું થઈ ગયું છે. કીડની પર ડેમેજ થયું છે, ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે.તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા ,દર્દીના દીકરા દ્વારા ખુબજ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે સાહેબ આ મારા પપ્પા છે, તમારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છેઅને અંતે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમની સચોટ નિદાન અને સારવાર ખુબજ સફળતાપૂર્વક થતા વેન્ટિલેટર પરના દર્દીની માત્ર ૫ દિવસમાં ખુબજ સારું થઈ જતા રજા કરવામાં આવી હતી. આથી દર્દી અને દર્દીના સગા દ્વારા ડો. સત્યજીતસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી આભાર માનવામાં આવ્યો હતો.






Latest News