હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત


SHARE











મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત

મોરબીના 40 વર્ષીય સગર્ભા માયાબેન મારૂણીયાનું શ્વાસની બીમારીથી મોત નીપજ્યું હતું. મૃતક માયાબેન 6 દીકરી અને 1 દીકરાને જન્મ આપ્યા બાદ આ આઠમી વખતે ગર્ભવતી થયા હતા.

મળતી માહિતી અનુસાર, મુળ થાનના માયાબેન સુરેશભાઈ મોરૂણીયા (40) હાલરહે.કુબેર ટોકીઝ પાછળ સોમેશ્વર રોડ મોરબી તા.7ના રોજ પોતાના ઘરે શ્વાસની બીમારી સબબ બેભાન થઈ ગયા હતા. તેમને તત્કાલ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પરિવારજનોની પુછપરછમાં જાણવા મળેલ કે, માયાબેનને ત્રણ માસનો ગર્ભ હતો.તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે.માયાબેનનું પિયર વડિયા ગામ છે. તેઓ બે ભાઈ અને છ બહેનોમાં વચેટ હતા. માયાબેનને સંતાનમાં છ દીકરી અને એક દીકરો છે. સાત સંતાનો માતા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.મૃતક ગર્ભવતી હોવાના કારણે ફોરેન્સિક પીએમ કરવા તજવીજ કરાઈ હતી






Latest News