હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE











મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે. લહેરુના અધ્યક્ષ સ્થાને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં રાજકારણમાં બ્રહ્મ સમાજનું યોગદાન અને સક્રિયતા વિષય રાખવામા આવેલ હતો અને મોરબીના પરશુરામધામ ખાતે આ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 1 થી લઈને 75 વર્ષની ઉંમર સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થનારને લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. જેમાં ઠાકર માહી, ભટ્ટ ધૈર્ય, આર્ય અને હેમાબેન જોષી, ભટ્ટ જલધી, રૂણ શુક્લ તથા વકીલ યતીન દવે વિજેતા જાહેર થયા હતા. તમામને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પ્રમાણે આર્ટીકલ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વકીલ જગદીશ ઓઝા, રવિન્દ્ર ત્રિવેદી, નીરવ રાવલ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે વિનુભાઈ ભટ્ટ, ભુપતભાઈ પંડ્યા, ડો. રાજુભાઈ ભટ્ટ, હિતેષ ભટ્ટ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા.






Latest News